પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

સૂર્યગ્રહણ વિશે ની માહિતી

• *સૂર્યગ્રહણમાં શું કરવું ?*
(તમારા મિત્રવતૃળમાં અને સગા સબંધી સાથે શેર કરો

 • તા. *૨૧-૬-૨૦૨૦ રવીવાર ના રોજ  સૂર્યગ્રહણ છે.* આ ગ્રહણ અને તેના પાલનની માહિતી બધા જ ભકતો માટે ઉપયોગી થશે.

 • *ગ્રહણ વેધ* : તા ૨૦-૬-૨૦૨૦ શનીવારે રાત્રે ૧૦:૧૦ કલાકે (ત્યારબાદ જમવું નહિ )   

*ગ્રહણ સ્પર્શ (શરૂ)* : તા.૨૧-૬-૨૦૨૦ રવીવારે સવારે ૧૦:૦૩ કલાકે

*ગ્રહણ મધ્ય* : સવારે ૧૧:૫૧ કલાકે
 
*ગ્રહણમોક્ષ (છૂટે )* : બપોરે ૧:૩૨ કલાકે 

(૧)ગ્રહણના આરંભમાં રાંધેલું અનાજ અશુધ્ધ થાય છે . તેથી ગ્રહણનો વેધ લાગે તે પહેલાં રાંધેલું અનાજ વાપરી લેવું.

(ર)અથાણું,દુધ, દહી,છાસ,ઘૃત, તેલ વગેરેમાં બનાવેલું અનાજ આ સર્વેમાં તલ અને દર્ભ નાખવાથી ગ્રહણમાં પણ આ અપવિત્ર થતું નથી.

(૩)સૂર્યગ્રહણ શરૂ થવાનું હોય તેના બાર કલાક પહેલાં વેધ લાગે છે. અને ચંદ્રગ્રહણ થવાનું હોય તેના નવ કલાક પહેલાં વેધ લાગે છે.

(૪) ગ્રહણ ના બાર કલાક પહેલાં બાળક,વૃધ્ધ અને રોગી સિવાય બીજા કોઈએ પણ ભોજન કરવું નહીં.

(પ) બાળક વૃધ્ધ અને રોગીને પણ ગ્રહણ ના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું નહી.

(૬) કોઈ પણ વ્યક્તિ ગ્રહણના વેધ દરમ્યાન ભોજન કરે તો તે ત્રણ દિવસના ઉપવાસનું વ્રત કરે તો શુધ્ધ થાય છે.

(૭) જે કોઈ સૂર્ય અને ચંદ્રગ્રહણમાં જમે છે. તે તો પ્રાજાપ્રત્ય વ્રત કરવાથી શુદ્ધ થાય છે.

(૮) જો રવિવારે રવિગ્રહણ હોય તથા સોમવારે ચંદ્રગ્રહણ હોય તો તે ચુડામણિ નામનો યોગ કહેવાય. આ યોગમાં દાન, હોમ વગેરે કરવાથી વધારે ફળ મળે છે. વળી આ યોગમાં બીજા વારોમાં આવતા સૂર્યગ્રહણની અપેક્ષાએ કોટિ ઘણું ફળ મળે છે.

(૯) શાસ્ત્ર મુજબ આઠ વર્ષથી ઓછી ઉંમર હોય તેને બાળક ગણવા અને ૮૦ (એંશી) વર્ષથી વધુ ઉંમર હોય તેને વૃધ્ધ ગણવા.

(૧૦) ગ્રહણ સમયે આપણને સૂતક લાગે છે તેથી કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરી શકાય નહિ.

(૧૧) ગ્રહણના આરંભ માં સ્નાન, ગ્રસ્ત થાય ત્યારે હોમ તથા દેવનું પૂજન,મૂકાવાની તૈયારી હોય ત્યારે દાન, મુક્ત થાય ત્યારે સ્નાન કહેલું છે.

(૧૨) ગ્રહણ સૂતકમાંથી મુક્ત થયા બાદ સ્નાન ન કરે તે પુરૂષ બીજું ગ્રહણ ન થાય ત્યાં સુધી સૂતકી કહેવાય.
                                 
         *ગ્રહણમાં દાનનો મહિમા*

(૧૩)ગ્રહણ મોક્ષ પછી શુધ્ધ થઈ અને ભૂમિદાન આપનારો મંડલાધીશ થાય, અન્નદાન આપનારો સર્વ લોકમાં સુખી થાય છે. રૂપાનો દાન આપનારો પૃથ્વી પર કીર્તિવાળો અને રૂપવાન થાય છે. દીપદાતા નિર્મળ આંખો વાળો થાય છે. ગાયનું દાન કરનાર સ્વર્ગલોક પામે છે. સોનાનું દાન કરનાર દીર્ધાયુ થાય છે. તલનું દાન આપનાર ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે.ગૃહસામ્રગી સહિત ઘરનું દાન આપનારો સ્વર્ગ લોકમાં ખૂબ ઊંચા મહેલવાળો થાય છે. વસ્ત્રનું દાન કરનાર ચંદ્રલોકને પામે છે. અશ્વનુ દાન કરનારો વિમાન આદિ દિવ્ય વાહનોવાળો થાય છે. વૃષભનું દાન કરનારો લક્ષ્મીવાન થાય છે. શિબિકા (વાહન) અને પલંગ આપનારો ગુણવાણી પત્નીવાળો થાય.જે શ્રધ્ધાથી દાન કરે છે અને જે શ્રદ્ધાથી સ્વીકારે છે તે બન્ને સ્વર્ગના ભાગીદાર થાય છે.

 *(સંદર્ભ : શ્રીમદ સત્સંગિજીવન,  પ્રકરણ - ૫ અધ્યાય-૧૯)*

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "