પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" ભૂલને સ્વીકારો અને સુધારો "


         
              ભૂલને સ્વીકારો અને સુધારો 

એક જૂની કહેવત છે " માણસ માત્ર ભૂલને પાત્ર " 
આપણે દરેક સંસારનું એક અદ્ભુત પાત્ર છીએ. આપણે અહી એક નહિ પણ અલગ અલગ પાત્ર ભજવવા પડશે જ  પાત્ર ભજવવાની શરૂઆત નાના બાળકથી થાય છે અને વૃદ્ધ અવસ્થાએ પૂર્ણ થશે પણ કયારેક કેટલાય લોકોનો રોલ અમુક સમય પૂરતો જ હોય છે.
ક્યારેક નાનપણમાં મૃત્યુ થાય તો ક્યારેક જવાનીમાં અને ક્યારેક ઘડપણમાં પણ મૃત્યુ આવવાની કોઇ આશા દેખાતી નથી પણ મૃત્યુ તો નિશ્ચિત જ છે. 
        દરેક માણસને જન્મ થી મૃત્યુ સુધીના સફરમાં ઘણી બધી પરિસ્થિતિઓ સાથે અથડાવાનું નક્કી જ છે.
દરેક પરિસ્થિતિમાં એક ભૂલ થવી  આવશક્ય છે કયારેક થાય છે એવું કે કોઇ ભૂલ કરવી નથી છતાં ભૂલ થઇ જાય છે. નાનપણની અવસ્થા એવી હોય છે જ્યારે ખબર તો પડે છે કે ભૂલ મારાથી થઇ છે એટલે તેની સજા અવશ્ય મળે છે અને ફરીવાર આવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આવું પણ સાંભળવા મળે છે કારણકે તે સમયે આપણું જીવન આપણા પર નિર્ભર હોતું નથી આપણું જીવન આપણા પરિવાર પર નિર્ભર હોય છે ત્યારે ભૂલનો સ્વીકાર પણ થાય છે પણ જેમ જેમ આપણે મોટા થવા લાગીએ છીએ તેમ તેમ આપણે મોટી ભૂલો કરીએ છીએ પણ થાય છે એવું કે આપણને કોઇ કહેતું નથી કે ભૂલ તારી છે અને કદાચ કોઇ કહેનારું મળે તો પણ આપણે તેની સામે આપણી ભૂલ સ્વીકારવા તૈયાર થતા નથી. સાચું કહું તો દરેક માણસ પોતાની ભૂલોથી ઘણું બધું શીખી શકે છે અને એનાથી વધારે તો બીજાની ભૂલોથી શીખનાર માણસ તો તેના જીવનમાં ખૂબ ઓછા સમયમાં જ સફળ વ્યક્તિ બની જાય છે.
      ભૂલ થાય દરેકની થાય પણ તેને જ્યાં સુધી આપણે 
સ્વીકારીએ નહિ ત્યાં સુધી ભૂલ ફરી થવાની શક્યતા વધારે હોય છે અને તેને સુધારી પણ શકાતી નથી પણ જ્યારે આપણે ભૂલને સ્વીકારીએ છીએ ત્યારે આપણમાં તેને સુધારવાની શક્તિ આવે છે અને તે ફરી ના થાય તેનું આપણે ધ્યાન રાખીએ છીએ. 

  " કોઈ પાસેથી શીખવા જેવું  હોય તો તે ભૂલો છે એ પછી આપણી હોય કે બીજાની હંમેશા ભૂલોથી શીખતું રહેવું જોઈએ "

Comments

  1. Ek number bhai keep going on brother we will support you
    😍😍😍❤️❤️❤️❤️❤️❤️

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "