પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

ભણ્યા પછી શું ..?

                  ભણ્યા પછી શું....? 


આજે હું એક ખૂબ જ નાનો સંવાદ તમારા બધાના સમક્ષ રજૂ કરવા જઇ રહ્યો છું જેનાથી તમને આજના શિર્ષક આવું કેમ રાખ્યું તે અંતમાં સમજાશે.

    એક પિતા અને તેના ભણેલા પુત્ર વચ્ચેનો સંવાદ છે.

     પુત્ર કોલેજના છેલ્લા વર્ષમાં હતો અને તેની છેલ્લી પરિક્ષા પૂર્ણ થઇ ગઇ છે અને આજે તેનું પરિણામ જાહેર થયું છે. હવે પુત્ર પોતાના પિતા પાસે આવે છે અને પૂછે છે પિતાજી હવે હું શું કરું ?

  પિતા : બેટા મને તારા પર ખૂબ જ ગર્વ છે કે તું સારું એવું ભણ્યો અને મારું નામ પણ રોશન કર્યું પરંતુ એક એવી વાત મારે આજે તને કરવી છે જે વાત દરેક પિતાએ પોતાના પુત્રને કહેવી જોઈએ.

પુત્ર : પિતાજી હું તમારી બધી જ વાત સાંભળવા તૈયાર છું પણ હાલમાં હવે મારે શું કરવું જોઇએ એ તો તમે મને કહો.

પિતા : પુત્ર ,  હા કહું છું પણ તું કેવી રીતે ભણ્યો એ તને ખબર છે પણ મે તને કેવી રીતે ભણાવ્યો છે એ આજે હું તને કહેવા માગુ છું જેનાથી મારી સાંભળેલી વાત તને એક માગદર્શક રીતે તને આખી જિંદગી કામ લાગશે.

પુત્ર : બોલો ,હું  સાંભળવા તૈયાર છું.

પિતા : જો બેટા તારું જીવન કેવું જશે એ મને નહિ ખબર પણ તારો સ્વભાવ અને તારું વર્તન તારું ભવિષ્ય અવશ્ય બદલી શકે છે. હવે તારા જીવનમાં પૈસાને લગતી અને નોકરીને લગતી મુંઝવણ આવતી રહેવાની પણ ક્યારેય ખરાબ કાર્ય પસંદ કરીને એક રૂપિયો પણ કમાતો નહિ. આ દુનિયા ઈમાનદાર લોકોની નહિ જેમ જેમ તું નોકરીમાં સારું કામ કરીશ તેમ તેમ તારી ટીકાઓ બીજા લોકો કરશે પણ એ ટીકાઓથી પોતાને ક્યારેય હતાશ થવા ના દેતો. કદાચ એવો પણ સમય આવે કે તારો બોસ તારી પાસે એવું કામ કરાવે જેનાથી તને વધારે પગાર મળતો હોય અને તારા બોસને ફાયદો થતો હોય પણ ઈમાનદારીનું કામ ના હોય તો તે  ક્યારેય ના કરતો.

 પૈસા કમાવા સહેલા છે પણ ઈમાનદારીથી કમાવા ખૂબ જ મુશ્કેલ છે. તારા ભણ્યાનો ઉપયોગ સારા કામ માટે થવો જોઇએ એ કામ તારું હોય કે બીજાનું ક્યારેય કોઈનું ખરાબ થાય તેવું કામ ક્યારેય ના કરતો. 


" જીવનનો સાચો માર્ગદર્શક કોઈ હોય તો તે પિતા છે. પિતા સાથે બનેલા દરેક અનુભવ આપણી પાસે નહિ બને પણ તેમના દરેક અનુભવ આપણને જીવનમાં કામ અવશ્ય લાગશે "


Comments

Post a Comment

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "